ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં થયેલા માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના દર્શાવતા મોરારીબાપુ

 

ગઈકાલે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જીલ્લાના અજમતપુર નજીક એક ટ્રેક્ટરની ટ્રોલી પુલ પરથી નીચે ખાબકતા બે મહિલા સહિત 11 લોકોના ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયા હતા. આ સિવાય મહારાષ્ટ્રમાં મુંબઈ પુના હાઈવે પર રાયગઢમાં કલાકારોની એક બસ મુખ્ય માર્ગ પર થી ૩૦૦ ફૂટ નીચે ખીણમાં ખાબકતા ૧૩ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની આ બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકો પ્રતિ પૂજ્ય મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિજન ને રુપિયા 11 -11 હજારની સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. આમ બંને ઘટનાઓ માં માર્યા ગયેલાઓને મોરારિબાપુ તરફથી કુલ મળીને રુપિયા બે લાખ ત્રેપન હજારની સહાય અર્પણ કરવામાં આવી છે. મુંબઈ અને લખનૌ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવા માં આવી રહી છે.

પૂજ્ય મોરારીબાપુએ આ બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકો તરફ સંવેદના વ્યક્ત કરી એમના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરેલ છે તેમજ તેમના પરિજનોને દિલસોજી પાઠવેલ છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *