*મધર્સ ડે ના દિવસે કુમકુમ મંદિરના સંત દ્વારા માતા – પિતાની જીવનપર્યંત સેવા કરવા માટે અપીલ કરવામાં આવી.*
*જે માતાએ જીવન આપ્યું, તેનું જતન કરવાનું ભૂલતા નહીં..*
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ તા. ૧૦ મે એટલે કે મધર્સ ડેના દિવસે જણાવ્યું હતું કે,
દુનિયામાં મધર્સ ડે ઊજવાય છે. પરંતુ આપણી ભારતીય સંતાનો માટે તો એવરી ડે પેરેન્ટ્સ ડે છે.
“મા”ને લઈને તમે છો. “મા” ના હોત તો “તમે હોત”?
માતૃદેવો ભવઃ એ આપણી સંસ્કૃતિ છે.
પરંતુ આજે ઘણાં સંતાનો માતાને વિસારી દે છે. ઘરડાંઘરમાં મૂકી આવે છે. તે જોઈને સાંભળીને દુઃખ થાય છે.
પાંખો આવે એટલે પક્ષી ઊડી જાય છે.
તેવી રીતે પુત્રો મોટા થાય, પૈસા અને પત્ની આવે એટલે મા ને મૂકીને ચાલ્યા જાય, તે યોગ્ય નથી.
મા ની ગરજ હતી ત્યારે તે સારી લાગતી. હવે સેવા કરવાની થાય ત્યારે ખારી લાગે છે.
સંતાનો વિચારજો,
તમને મોંઘા બ્રાન્ડેડ કપડાં જોઈએ છે ? મા ના વસ્ત્રો જો જો…
ના હોય તો લાવી આપજો,
મા દવા વગર અને ભોજન વગર ના રહી જાય.
મોબાઇલ ઉપર તમે કલાકો વિતાવો છો, માતાને રોજ ૫ મિનિટ આપજો. એની તબિયત તો પૂછજો….
મધર્સ ડેના દિવસે માતાની સાથે ફોટા મૂકો છો… ઠીક છે. સારું છે.
પ્રત્યક્ષ “મા” ને જુદી ના મૂકી દેતા.. ફોટામાં જેમ માતાને સાથે રાખો છો, તેમ જીવનભર માતાને સાથે રાખજો.