તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદમાં:અસિતકુમાર મોદીએ મારી સાથે બળજબરી કરી. મિસિસ રોશનસિંહ સોઢીએ 15 વર્ષ બાદ શોને કીધું અલવિદા..

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ શોની જોરદાર ફેન ફોલોઈંગ છે. ફેન્સ દરેક પાત્ર વિશે વધુને વધુ જાણવા માગે છે. આ દિવસોમાં ટપ્પુ અને સોનુની લવ સ્ટોરી સીરિયલમાં બતાવવામાં આવી રહી છે, જેમાં ભીડે અને જેઠાલાલ એકબીજા સાથે લડી રહ્યા છે. જોકે, હવે સમાચાર આવ્યા છે કે શોમાં રોશન સિંહ સોઢીની પત્નીનો રોલ કરનાર રોશન ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોને અલવિદા કહી દીધું છે. એટલું જ નહીં તેણે અસિત કુમાર મોદી પર કેટલાક ગંભીર આરોપો પણ લગાવ્યા છે.

જેનિફર મિસ્ત્રીએ ‘તારક મહેતા…’ શોને અલવિદા કહી દીધું
જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોડ્યુસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિરુદ્ધ કામ પર કથિત જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. ETimesના અહેવાલ મુજબ, જેનિફરે બે મહિના પહેલા શોનું શૂટિંગ બંધ કરી દીધું છે. 7 માર્ચે શો માટે છેલ્લું શૂટ કર્યું હતું અને દાવો કર્યો હતો કે સોહેલ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ દ્વારા અપમાનિત થયા બાદ તેમને સેટ છોડવો પડ્યો હતો. 24 માર્ચે મને ટીમ તરફથી મેસેજ મળ્યો કે મારા કારણે તેઓ નુકસાનનો સામનો કરી રહ્યા છે. તેઓ મને ડરાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હું બિલકુલ ડરશે નહીં.

જેનિફરે તારક મહેતાના મેકર્સ સામે ફરિયાદ દાખલ કરી
રોશન ઉર્ફે જેનિફરે ‘ઈ-ટાઇમ્સ’ને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, “હા, મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો છે. એ સાચું છે કે મેં છેલ્લો એપિસોડ 6 માર્ચે શૂટ કર્યો હતો. સોહિલ રામાણી અને અન્ય એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજના હાથે મને અપમાનનો સામનો કરવો પડ્યો હોવાથી મારે સેટ છોડવો પડ્યો હતો.” જ્યારે તારક મહેતાના સેટ પર તેના છેલ્લા દિવસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “7 માર્ચે મારા લગ્નની વર્ષગાંઠ છે. અને તે જ્યારે આ ઘટના બની ત્યારે હોળી હતી. મને સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર દ્વારા ચાર વખત સેટ છોડવાનું કહેવામાં આવ્યું હતું. મારી કારને પાછળ ઉભી રાખીને રોકવાનો પ્રયાસ કર્યો અને મને સેટની બહાર જવા દીધી નહીં. મેં તેમને કહ્યું કે મેં 15 વર્ષથી શોમાં કામ કર્યું છે અને તેઓ મને બળજબરીથી રોકી શક્યા નથી અને જ્યારે હું જતી હતી ત્યારે સોહિલે મને ધમકી આપી હતી. જે બાદ મેં અસિત કુમાર મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધ્યો હતો.

અસિત કુમાર મોદી પર ગંભીર આરોપો લગાવ્યા
ભૂતકાળમાં તેની સાથે બનેલી અન્ય ઘટનાઓનું વર્ણન કરતાં, જેનિફરે કહ્યું, ‘ભૂતકાળમાં ઘણી એવી ઘટનાઓ બની છે, જેને મેં એવું વિચારીને છોડી દીધી છે કે સમય બદલાતા બધું બદલાઈ જશે.’
જાતીય સતામણીનો કેસ દાખલ કરનાર જેનિફરે દાવો કર્યો, ‘અસિત મોદીએ આ પહેલાં પણ ઘણી વખત મારી સાથે સંબંધ રાખવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં મેં નોકરી ગુમાવવાના ડરથી તેમના તમામ નિવેદનોને નજરઅંદાજ કર્યા હતા, પરંતુ હવે બહુ થયું. તેમણે મને સેટ પર જબરદસ્તીથી રોકવાનો પ્રયાસ કર્યો અને ગેટ બંધ કરી દીધો. તેઓ આ કરી રહ્યા હતા. મને બહાર જવા દેતા ન હતા. મેં એક મહિના પહેલાં સત્તાવાળાઓને ફરિયાદનો મેઈલ કર્યો હતો. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. મને ખબર છે કે મને જલ્દી ન્યાય મળશે’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *