કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંગરુરની એક અદાલતે માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યા છે. સંગરુરમાં હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના હિતેશ ભારદ્વાજે સ્થાનિક કોર્ટમાં તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે કોંગ્રેસ અધ્યક્ષે કર્ણાટક ચૂંટણી દરમિયાન બજરંગ દળ પર ‘અપમાનજનક ટિપ્પણી’ કરી હતી. કથિત અપમાન બદલ બજરંગ દળ હિંદે તેમની પાસેથી 100 કરોડ રૂપિયાની માંગણી કરી છે. સંગરુર સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રમનદીપ કૌરે કોંગ્રેસ અધ્યક્ષને 10 જુલાઈએ હાજર થવા કહ્યું છે.
ખડગેને કોર્ટે 100 કરોડના માનહાનિના કેસમાં સમન્સ મોકલ્યા.
