સાગબારા ખેડૂતોનો ધરણા પ્રદર્શનનો 23 માંદિવસે ભાજપા,કોંગ્રેસ આપ ના નેતાઓ ધરણા સ્થળે એક મંચ પર દેખાયા
સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું
ત્રણ મંત્રીઓ હવે સોમવારે સાગબારા ખોપી પધારશે. જેમાં
રાજ્યના વન મંત્રી પ્રવીણ માળી, આદિજાતિ કલ્યાણ મન્ત્રી નરેશ પટેલ, પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ આવશે
સાગબારાના ખેડૂતોએ પણ શરૂ કરી દીધું ખેડાણ
રાજપીપલા,તા 30

સાગબારાના ખોપી ગામે છેલ્લા 22 દિવસથી ખેડૂતોના ધરણા ચાલુ રહ્યાં હતાં. આજે 23 માં દિવસે ભાજપા,કોંગ્રેસ આપ ના નેતાઓ ધરણા સ્થળેભેગા થયાં હતાં જેમાં
સાંસદ મનસુખ વસાવા, કોંગ્રેસના સંદીપ માંગરોલા, બીટીપી આગેવાન મહેશ વસાવા, આપ ના ડો. દયારામ વસાવા તમામ આદિવાસી નેતાઓ એક મંચ પર આવ્યા હતાં. ત્યારે
સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે મંત્રીઓ હવે સોમવારે સાગબારા ખોપી પધારશે. જેમાં
રાજ્યના વન મંત્રી પ્રવીણ માળી, આદિજાતિ કલ્યાણ મન્ત્રી નરેશ પટેલ, પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ આવી શકે છે.સોમાવારે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહીત ભાજપાના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
લીલાબેન વસાવા સહીત તમામ ખેડૂતોના પારણાં કરાવશે
ખેડૂતોના કેટલાક મહત્વના મુદ્દા ઉમેરવા મનસુખભાઈએ મંત્રીઓને કહ્યુંજ હતું. ખેડૂતોના પેન્ડિંગ દાવાઓને પણ મન્જુર કરવાનો પાકો નિર્ણય કર્યો છે.લીલાબેન વસાવાને હું અભિનંદન આપું છું.
લીલાબેનના ધરણા ને કારણે ગુજરાતમાં જેટલા પણ પેન્ડિંગ દાવાઓ વાળા ખેડૂતો છે એ બધાને જ લાભ હવે મળશે એવી વાત મને નાયબ મુખ્ય મન્ત્રી હર્ષ સંઘવીએ પણ કહી છે.આનો યશ લીલાબેન અને સાગબારાના ખેડૂતોને જાય છે.સાગબારાના ધરણાને કારણે અંદાજે 70 હજાર જેટલાં ખેડૂતોને પુરાવાને આધારે લાભ મળી શકે છે.આજ નિવેદન બાદ સાગબારા ના ખેડૂતોએ ખેડાણ પણ શરૂ કરી દીધું હતું.હવે આ ધરણા નો સોમવારે સુખદ અંત આવશે એવી આશા બંધાઈ છે.
આઠમી ઓગસ્ટથી લીલાબેન વસાવા સતત 24 દિવસ સુધી ધરણાપર અડગ બેસી રહ્યાં આ સુખદ નિર્ણય લેવા માટે સંસદ મનસુખભાઈ વસાવાનો લીલાબેને આભાર માન્યો હતો પેન્ડિંગ દાવાઓની મંજૂરી અને સાગબારાના ખેડૂતોને ખેડાણ કરવાની મંજૂરી આપવાની શરતે લીલાબેન સોમવારે પારણાં કરવા તૈયાર થયાં છે.ખેડૂતોને ન્યાય મળે તો હું પારણા કરવા તૈયાર છું.એમ લીલાબેન વસાવાએ જણાવ્યું હતું જેનાથી હાલ તો ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
જોકે સાગબારાના ખેડૂતોએ પણ ખેડાણ શરૂ કરી દીધુંહતું
હવે સોમવાર પર સૌની મીટ મંડાઈ છે.મઁત્રીઓ લીલાબેન અને ખેડૂતોના પારણાં કરાવી આંદોલનનો અંત લાવશે.આ નિર્ણયથી ભાજપાને મોટો રાજકીય ફાયદો થઈ શકે છે
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા