શહેરની એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં વક્તવ્ય આપ્યુ.


એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ તથા ઓલ ઇન્ડીયા કોલેજ પ્રિન્સીપાલ્સ એશોશીએશનના રાષ્ટ્રીય પ્રમુખ સંજય વકીલે જયપુર મુકામે યોજાયેલ રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં અધ્યક્ષીય પ્રવચન આપ્યુ હતુ.આ કોન્ફરન્સનો વિષય “રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં ભારતીય જ્ઞાન” ઉપર ૪૦ થી વધારે ભારતના અન્ય રાજ્યોના પ્રિન્સીપાલોએ સંશોધનાત્મક લેખો રજૂ કર્યા હતા. પ્રિ.સંજય વકીલે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ , ભારતીય જ્ઞાન પરંપરા, ભારતીય સંસ્કૃતિ તથા તેના ભવ્ય ઈતિહાસ વીશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણનીતિમાં ભારતીયતાને સ્થાન મળવાથી ભારતની ઉચ્ચ પરંપરા વીશે વિદ્યાર્થીઓને માહિતી મળશે. જયપુરની અગ્રવાલ કોલેજમાં યોજાયેલ આ કોન્ફરન્સમાં દેશના ૨૦૦ થી વધારે પ્રિન્સીપાલોએ ભાગ લીધો હતો.ગુજરાતની વિવિધ કોલેજના ૩૫ થી વધુ પ્રિન્સીપાલોએ હાજરી આપી હતી. કોન્ફરન્સમાં કોલેજ ન્યુઝ મેગેઝીન તથા ઈન્ડિયન નોલેજ સિસ્ટીમ એમ બે પુસ્તકોનું વિમોચન થયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *