ચોમાસમાં નર્મદાનો નિનાઈ ધોધનું અનુપમ સૌંદર્યસોળે કળાએ ખીલ્યું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

100% શુદ્ધ ઓક્સિજન આપતાં માલસમોટના જંગલમા પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી

રાજપીપલા, તા 9

જેને ગુજરાતના કાશ્મીર નું બિરુદ મળ્યું છે. એવા ચોમાસામા 70મીટર ઊંચાઈએ થી વહેતાપ્રવાસીઓની ખાસ પસંદ એવા નર્મદા જિલ્લાના નિનાઈ ધોધ હાલ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

ડેડીયાપાડા તાલુકાના માલસામોટ ખાતે આવેલ સાતપુડા અને વિન્ધ્યાચલ અને સાતપુડા ગિરિમાળાઓ ની વચ્ચેથી 70 મીટર ઊંચાઈએથી જળ ધોધ વહી રહ્યો છે.હાલ ચોમાસામાં નિનાઈ ધોધ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પૈકી નર્મદા જિલ્લાના કુદરતી વધુ પસંદ કરેછે.

ગુજરાતનો નાનકડો જીલ્લો નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ સૌથી મોટો વન વિસ્તાર ગણાય છે સાતપુડા અને વિંધ્યાચલ ની ગિરિમાળા આવેલી છે. જે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. ચોમાસામાં ચારે બાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એમ લાગે છે. કારણે નર્મદા જિલ્લાના વનવિસ્તાર ને આજના કાશ્મીર નું બિરુદ મળ્યું છે

ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં આવેલું એક ઝરણા માંથી વહી આવતો 70મીટર ઊંચાઈ થી પડતો નયનરણમ્ય સુંદર ધોધ અત્યારે ચોમાસામા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.જે ગુજરાત રાજ્ય ના ૧૬૩ ધોરીમાર્ગ પર સ્થિત છે. તે દેડીયાપાડાથી લગભગ ૩૫ કિ.મી. અને સુરતથી આશરે ૧૪૩ કિ.મી. છે. નજીકનું રેલ્વે સ્ટેશન ભરૂચ છે જે ૧૨૫ કિ.મી દૂર છે અને નજીકનું એરપોર્ટ સુરત છે. નીનાઇ ધોધની ઉંચાઈ ૩0 ફુટથી વધુ છે.રાજપીપલાથી ડેડીયાપાડા થઈને સગાઈ અને ત્યાંથી માલસમોટ જઈ શકાય છે.

હવે કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે ત્યારેલોકો ઘરની બહાર નીકળવા માંડયા છે. અને મનને પ્રફુલ્લિત કરી દે અને મનને શાંતિ આપે એવા કુદરતી સૌંદર્યસભર નિનાઈનો ધોધ જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અહીં ધોધની ચારે બાજુનું પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓના
મનને હરી લે છે. વીકેન્ડમાં ક્યાં ફરવા જવું હોય પ્રવાસીઓની પહેલી પસંદ નિનાઈ ધોધછે.

સગાઈ રેન્જ મા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)ઉન્નતિબેન પંચાલ ના જણાવ્યા અનુસાર નિનાઈ ધોધ સગાઈ રેન્જ વિસ્તારમા આવે છે.અહીંયા વનવિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સગાઈ માટે રહેવા-જમવાની પણ સુવિધા ઊભી કરી છે. ત્યાં રહેવા માટે કોટેજ બનાવ્યા છે. જમવા માટે ની સુવિધા છે.

અહીં ડેડીયાપાડાના સુંદર જંગલોમાં શૂલપાનેશ્વર વન્યજીવન અભયારણ્ય પણ આવેલ છે.નીનાઇ ધોધની ઊંચાઈ 70 ફીટથી વધુ છે. નીનાઈ ધોધ તેની આસપાસ ખૂબ જ સુંદર સુંદરતા ધરાવે છે. તે દદિયાપડાનાં સુંદર જંગલ શાખાઓ ઉપરાંત શૂલપાંશ્ર્વર વન્યજીવન અભયારણ્ય ઉપરાંત આવેલું છે.નર્મદા જીલ્લા ઇકો-ટૂરિઝમ હોટપોટ્સ તરીકે વન વિભાગે વિકસાવ્યું છે.આ યોજનામાં નીનાઘાટનો ધોધ પણ શામેલ છે.

કોરોનામાં લોકોની ભીડ વધારે ન થાય તે મ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રવાસીઓ માટે કરવામાં આવે છે. અહીંયા સગાઈ ખાતે વનવિભાગ દ્વારા ટુરીઝમ સેન્ટર બનાવવમાં આવ્યું છે.

ડેડીયાપાડાથી નિનાઈ ઘાટ જતા રસ્તામાં ચારે બાજુ લીલા છમ ડુંગરો, ખળ ખળ વહેતા ઝરણાઓનું કુદરતી સૌંદર્ય પ્રવાસીને આકર્ષે છે. નાની સિંગલૉટી પાસે શુલપારેનશ્વર વન્ય જીવ અભ્યરણ્ય આવેલું છે જ્યાં આવેલા ચેકીંગનાકા પર ટિકિટનું ચેકીંગ થયાં પછી આગળ જઈ શકાય છે.

વન વિભાગે નિનાઈ ઘાટ સુધી ફોરવિલર જઈ શકે એવો પાકો રસ્તો બનાવ્યો છે. ઘાટ આગળ જવા માટેસરસ મઝાના પગથિયાં બનાવ્યા છે.150જેટલાં પગથિયાં ઉતરીને નિનાઈ ધોધ જોઈ શકાય છે નિનાઈ ધોધ ની ચારે બાજુ કુદરતી કાળમિંઢ પથ્થરો પર જઈને પ્રવાસીઓ નિનાઈધોધ ની સેલ્ફીની મઝા માણે છે. 70મીટર ઊંચાઈથી પડતા ધોધનો અવાજ પણ ગમે તેવો છે.

અહીં પ્રવાસીઓ માટે ન્હાવા ની પાણીમાં ઊંડે જવાની મનાઈ છે. ડૂબી જવાનાં બનાવો ન બને તે માટે અહીં જવાનો તૈનાત કરાયા છે.

જો તમારે વિકેન્ડ મા ફરવા જવુ હોય તો નિનાઈ ઘાટ બેસ્ટ ડેસ્ટીનેશન કહી શકાય.તો ચાલો આપને નર્મદા માલસમોટ ખાતે આવેલા નિનાઈ ધોધ જોવા એક વાર અવશ્ય જઈએ.

બાઈટ :1: ઉન્નતિબેન પંચાલ,રેન્જ ફોરેસ્ટ ઓફિસર,
સગાઈ રેન્જ

P 2 C :દીપક જગતાપ

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati