આંસુઓને બેધડક પૂછી લીધું
આ રસ્તો ક્યાંથી ફંટાય છે??
આ દશાથી સુખ ચેન છીનવાય છે
વગર વાંકની આકરી સજા કપાય છે
સત્યના પૂરતા પુરાવા ન મળતાં
જુઠ્ઠાણાને સત્યનો તાજ પેહરાવાય છે..
કોઈને ભીની લાગણીઓની ભાળ મળે તો કહેજો
અર્થના કુંડાળામાં મારા ભાવભર્યા શબ્દો અટવાય છે
સોનલ ગોસલીયા