કુમકુમ મંદિર દ્વારા ત્રિદિવસીય ફૂલદોલોત્સવ ઉજવાશે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કુમકુમ મંદિર દ્વારા ત્રિદિવસીય ફૂલદોલોત્સવ ઉજવાશે.

તા. ૧૮ થી ર૦ માર્ચ સુધી સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા ત્રિદિવસીય ફૂલદોલોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ ત્રિદિવસીય મહોત્સવમાં શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર ગ્રંથની પારાયણ શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીની નિશ્રામાં યોજાશે. આ પ્રસંગે કથામૃતનું પાન શ્રી હરિવલ્લભદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી કરાવશે.

આ પ્રસંગે તા. ૧૮ માર્ચના રોજ સવારે ૯ – ૩૦ થી ૧ર – ૩૦ સાંજે ૩ – ૦૦ થી ૭ – ૦૦ ફૂલદોલોત્સવની ઉજવણી અને પારાયણ યોજાશે.આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફૂલોથી સુશોભિત ફૂલોના હિંડોળમાં ઝુલાવામાં આવશે.

તા. ૧૯ માર્ચના રોજ બપોરે ૧ -૦૦ થી ૭ – ૦૦ શ્રી હરિયજ્ઞ, કીર્તનભક્તિ, પારાયણ યોજાશે.

તા.ર૦ માર્ચના રોજ સવારે ૯ -૦૦ થી ૧ર -૦૦ સત્સંગ સભા, પારાયણ, સ્વાગતયાત્રા, સંતવાણી આદિ કાર્યક્રમો યોજાશે.

આ ત્રિદિવસીય મહોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – સેવા કેન્દ્ર હીરાપુર ખાતે ઉજવાશે. જેનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર તેનું પ્રસારણ કરવામાં આવશે.

  • સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
  • મો.૯૮૯૮૭૬૫૬૪૮
  • વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮
TejGujarati