મોટાભાગના લોકો લગ્ન પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખે છે, જેમાં એક ખર્ચ કંકોત્રી પાછળ પણ થાય છે. અને આ કંકોત્રી ગમે તેટલી મોંઘી હોવા છતાં લગ્ન બાદ તો તે કચરામાં જ જાય છે. એટલે જ જો લગ્ન બાદ પણ આ કંકોત્રીનો કોઈ ઉપયોગ થાય તો, આનાથી સારું બીજું શું હોઈ શકે?
ભાવનગર જિલ્લાના ઉચેડી ગામના શિવાભાઈ ગોહિલે પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન માટે કઈંક એવી કંકોત્રી બનાવડાવવાનું નક્કી કર્યું જેનાથી પ્રકૃતિનું જતન થાય. આ માટે પ્રકૃતિપ્રેમી નરેન્દ્રભાઈ ફળદુની મદદથી અને સલાહથી તેમણે એવી કંકોત્રી બનાવડાવી, જેમાંથી ચકલી માટે સુંદર માળો બનાવી શકાય.
લગ્ન બાદ જો અડધા લોકો પણ આ કંકોત્રીમાંથી માળો બનવીને ઘરમાં સુરક્ષિત જગ્યાએ લગાવે તો, ઘણી ચકલીઓને સુરક્ષિત આશરો મળી જાય. અને એક માળામાં તો ચકલીએ માળો બનાવી પણ લીધો.
અમને તો આ વિચાર ખૂબજ ગમ્યો, તમને કેવો લાગ્યો?
Post by – The better india for gujarati