અમદાવાદ શહેરમાં હાલ કોરોના વાયરસના કેસો વધતા એએમસી દ્વારા ઘણી એવી જગ્યા પર તાત્કાલિક કોરોના ટેસ્ટ કરવા માટે ડોમ શરુ કર્યા છે. પરતું હવે આ તમામ ડોમ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં અસારવા વિસ્તારમાં કોરોના ટેસ્ટ માટે શરૂ કરવામાં આવેલા ડોમ નીચે શાકભાજી વેચાઈ રહી છે. શું ખરેખર આવી રીતે કોરોના સંક્રમણ પર કાબુ મેળવવામાં આવશે?
