રાજકારણ ધંધો છે,ધંધો કરી લેવાનો
પ્રજાનાં પૈસે જ જલસો કરી લેવાનો
હોદ્દો મળે ત્યાં પક્ષપલટો કરી લેવાનો
રાજ’નીતિ’ની શું વાત કરો છો મૂર્ખાઓ
રાજકારણ ધંધો છે ,ધંધો કરી લેવાનો
વાતો કરતી જ રે’વાની મોટીમોટી ને ખોટી
મોકો આવે ત્યારે,ત્યાં વંડો ટપી જવાનો
પ્રજા માટે,પ્રજાથી,પ્રજા વડે એ વળી શું?
સતા-સંપતિ એ જ પ્રભુ છે,ભજી લેવાનો
ભીડ વેચાતી મળે જ છે,કાર્યકરની શી જરૂર
કાર્યકર કાર્યકર રહેશે બુંગણ ફરી પાથરવાનો
પલટુ પાછો જોજે ને ચૂંટાઈને આવશે જ
મતદાર ભૂલક્કડ છે એ તો ભૂલી જવાનો
-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’માં થી