શ્વેતા રસ્તોગીએ શ્રીકૃષ્ણમાં કિશોરવય રાધાની ભૂમિકા ભજવી હતી. અને કૃષ્ણ માટે રાધાના નિર્દોષ અને શુદ્ધ પ્રેમ ને સુંદર રીતે રજૂ કરી હતી. શ્વેતા નો જન્મ દિલ્હી નજીક (59 km કિ.મી. દૂર) મેરઠમાં થયો હતો, પરંતુ બાદમાં તેણીનો પરિવાર મુંબઈ રહેવા ગયો હતો. જ્યાં તેણીનો ઉછેર થયો હતો, અને બાદમાં તેણે અભિનેત્રી રેખા સ્ટારર ખૂન ભરી માંગ (1988) માં બાળ કલાકાર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. જ્યાં તેણીએ તેની પુત્રીની ભૂમિકા ભજવી હતી. તે પછી તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો,પણ શ્રી કૃષ્ણમાં રાધાની ભૂમિકા ભજવ્યા બાદ તેને લોકપ્રિયતા મળી. ત્યારથી તે ટેલિવિઝન પર સક્રિય છે અને જય હનુમાન (1997), સ્ત્રી તેરી કહાની (2006), ભાઈ, ભૈયા અથવા બ્રધર (2012), ઇન્ટરનેટ વાલા લવ (2018) જેવા શોમાં કામ કર્યું છે. શ્વેતા ખૂબ જ દેશપ્રેમી છે અને તે રાધાની ભૂમિકા સાથે ખુબ ઊંડાણ પૂર્વક રીતે જોડાયેલ છે. શ્રી કૃષ્ણના સેટ પર પોતાનો અનુભવ શેર કરતી વખતે, તેમણે ખુલાસો કર્યો કે એવું કોઈ શાસ્ત્ર નથી જે રામાનંદ સાગર ની સાથે ન હતું.
