ચુનીલાલભાઈ નાની વયે કમાવા લાગ્યા હતા. જેમ એમની આવક વધતી ગઈ. તેમ તેઓને પોતાનું મનોરથ પુરૂ થતું દેખાવા લાગ્યું.
પિતાનું અવસાન થયું ત્યારે ચુનીભાઈ માત્ર છ મહિનાના હતા સમય જતાં એમને જાણ થઈ કે પિતા ઘણું દેવું મુકીને ગયા છે બસ ત્યારથી એમના મનમાં એક જ વિચાર રહેતો કે આપણે લેણદારોની પાઈએ પાઈ ચુકવવી છે.
આથી એમણે આખા ડીસા પંથક માં ઢોલ પિટાવ્યો કે, “મારા પિતાનું જે કંઈ દેવુ હોય એ મારે ચુકવવું છે. જેમના રૂપિયા લેણા હોય એ ખુશીથી આવે અને લઈ જાય.” એ જમાનામાં ચુનીલાલ મહેતા એ જેણે જે માગ્યાં એ કોઈ ખત કે પુરાવા વગર , હજારો રૂપિયા વ્યાજસહિત આદરભેર ચૂકવ્યા.
સુ-બોધ :- કોઈના હાથમાંથી લેશો તો તમારા ભાગ્યમાંથી જશે | કોઈના હાથમાં આપશો તો તમારા ભાગ્યમાં આવશે.